Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના નસારપુર ગામે આદિવાસી વિસ્તારના પ્રશ્નો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા કોંગ્રેસની બેઠક યોજાઇ.

Share

ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે આદિવાસી સમાજ અને વિસ્તારના પ્રશ્નો આગામી વિધાનસભાની ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા બાબતે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી.

પેસા કાયદો, જળ જંગલ અને જમીનના અધિકાર મળે, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ખાનગીકરણ બંધ કરવુ, સરકારી ભરતીમાં ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ યુવાનોનું શોષણ થઈ રહ્યું છે તે બંધ કરી યુવાનોની નિયમ અનુસાર ભરતી કરવામાં આવે, કોરોના મહામારીમાં મુત્યુ પામેલ પરિવારોને ચાર લાખની આર્થિક સહાય મળે, આદિવાસી વિસ્તારોમાં છ હજાર શાળાઓ બંધ કરવામાં આવી છે તે શાળાઓ શરૂ કરવામાં આવે, યુવાનોને રોજગારી આપવામાં આવે, મનરેગા યોજના હેઠળ 100 દિવસ રોજગાર ગેરંટી આદિવાસીઓને મળે જેવી ઉપરોક્ત બાબતની ચર્ચાઓ કરી આ પ્રશ્નો આગામી વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા પ્રદેશ કોંગ્રેસ સમિતિને ભલામણ કરવામાં આવી છે. આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિશ વસાવા, જગતસિંહ વસાવા, નટવરસિંહ વસાવા, રમણભાઈ ચૌધરી, કનુભાઇ ચોધરી, રામસીંગ વસાવા, અનિલભાઇ ચોધરી, રૂપસિંહ ગામિત, ગણપતભાઈ વસાવા, હિરાલાલભાઈ વસાવા, મુકેશભાઈ વસાવા વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

73માં સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાના કાયઁકમની ઉજવણી ઝઘડીયા તાલુકા ખાતે રાખવામાં આવી

ProudOfGujarat

અમૂલ ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેન તરીકે વિપુલ પટેલ અને કાંતિ સોઢાની વરણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચના સાયખા જીઆઇડીસી માં ડમ્પિંગ પોઇન્ટ ન બનાવવા મુખ્યમંત્રીને આવેદન પાઠવતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!