Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાં પરિવારનાં 3 સભ્યોએ જીવન ટૂંકાવ્યું

Share

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાં એક જ પરિવારનાં 3 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો છે. જેમા આજે વહેલી સવારે માતા-પિતા અને દીકરીએ કેનાલમાં ઝંપલાવ્યુ હતું. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોચી હતી. દુધરેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક આવી પહોચી હતી જેથી કેનાલમાથી ત્રણેય સભ્યોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે હજુ આત્મહત્યાનુ કારણ જાણી શકાયુ નથી. પોલીસે હાલમાં તેમના આડોશી પાડોશીઓની પુછપરછ કરી છે. તેમજ મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલનાં સફાઈ કામદારોનાં પગાર ન થતાં અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તા. 6/7/2020 થી 11/7/2020 દરમિયાન ભારે વરસાદની આગાહી કરાતાં તંત્ર એલર્ટ થયું.

ProudOfGujarat

પાલેજ પંથક માં ધોધમાર ૨ ઈંચ જેવો વરસાદ.આગોતરા વાવેતર કરેલા ખેતરો માં પાણીની આવક થઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!