Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં બ્રાહ્મણ પરિવારનાં પાંચ સભ્યોએ મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ કર્યો.

Share

લીંબડી શહેરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા બ્રાહ્મણ પરિવારે અગ્રગણ્ય અખબારનાં “મનથી ત્યજીએ મૃત્યુ ભોજન” પહેલને સમર્થન આપ્યું છે અને પંડયા પરિવારના પાંચેય સભ્યોએ મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ કર્યો છે. લીંબડી શહેરના શિક્ષીત પંડયા પરિવારના મોભી કે.ડી.પંડયા પત્ની ભગવતીબેન, પુત્ર હિતેષ પંડયા, પુત્રવધુ છાયાબેન અને પૌત્ર ધાર્મિક પંડયાએ મૃત્યુ પછી કોઈપણ પ્રકારના લૌકિક વ્યવહાર, રોકકળ, કાંણ-મોકાણ અને મૃત્યુ ભોજનનો જંગી ખર્ચ બચાવી જરૂરીયાતમંદોને મદદરૂપ બનવા કટીબદ્ધ દાખવવાની પ્રતિજ્ઞા લીધી છે. જીવનભર શિક્ષણ સાથે જોડાયેલા પંડયા પરિવારના પાંચેય સભ્યોએ મૃત્યુ બાદ દેહ-દાનનો સંકલ્પ કર્યો છે. મૃત્યુ પછી પરિવારના સભ્યનું શરીર મેડીકલના સ્ટુડન્ટ્સને અભ્યાસ કરવા માટે ઉપયોગી બને તે માટે પાંચેય વ્યક્તિએ દેહદાનનો નિર્ણય લીધો છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરા : વિશ્વ નર્સિંગ દિન નિમિત્તે સરકારી નર્સિંગ કોલેજ તથા એસ.એસ.જી હોસ્પિટલનો સંયુક્ત સન્માનિત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાથી સંક્રમિત થયેલ વધુ એક એસઆરપી જવાન પણ કોરોનાને હરાવીને સાજો થઈ જતા તેને રજા આપવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચના વાલિયામાં ચુંટણીને લઈને મારામારી અને લૂંટનો બનાવ બનતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!