Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ: ખળભળાટ મચ્યો..!

Share

સુરતમાં કોરોના કેસ ઓછા થતા થોડા સમય પહેલાં જ 9 થી 11 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા .જોકે દરેક શાળાએ કોવિડની ગાઈડલાઈન અનુસાર વર્ગો શરૂ કરવાના હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક સ્કુલોમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે.જે અંતર્ગત સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થી પોઝિટીવ આવ્યા છે. સુરતમાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી.

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા ક્રમાંક પાંચમાં સુરતમાં આરોગ્યની ટીમની ધનવંતરી રથ સ્કૂલ પર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ તથા RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. જોકે તે સમય દરમિયાન સુરતમાં ધોરણ-9ના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને 14 દિવસ માટે સ્કૂલને બંધ કરવામાં આવી હતી.

Advertisement

સ્કૂલોમાં ‘સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ’ બનાવવા પાલિકાએ આદેશ કર્યો છે. આચાર્યના અધ્યક્ષસ્થાને આ સમિતિ તેમની સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું રજિસ્ટર નિભાવવું પડશે. જેમાં દરેક વિદ્યાર્થી સ્વસ્થ છે કે કેમ, સ્કૂલના દરવાજા અને બારી ખુલ્લી રાખવામાં આવે છે કે કેમ એ તમામ બાબતનું ધ્યાન રાખવું પડશે. જો કોઈ પણ વિદ્યાર્થીને સામાન્ય શરદી હોય કે તેમના ઘરમાં પણ કોઈ અસ્વસ્થ હોય તો સ્કૂલે ન આવવા કહેવાયું છે.

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના કેસ શૂન્ય છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 28 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.


Share

Related posts

પંચમહાલ જીલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા જીલ્લા કોંગ્રેસની માંગ, ગુજરાતનાં મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટરને આવેદન.

ProudOfGujarat

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર કરાઇ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

‘અગ્નિવીરો’ને નોકરીની ઓફર મળી, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ભરતીની જાહેરાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!