Proud of Gujarat
FeaturedGujaratINDIA

વૃંદાવનમાં મુસ્લિમ કારીગરોએ બનાવેલા ભગવાન જગન્નાથના વાઘા સુરત પહોંચ્યા.

Share

સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની પાંચ મુખ્ય રથયાત્રાઓ અલગ-અલગ સ્થળોએથી યોજવામાં આવે છે. જેમાં પાંચ પૈકીની મુખ્ય અને સૌથી મોટી રથયાત્રા ઈસ્કોન મંદિરની હોય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની આ યાત્રામાં જોડાય છે. જો કે કોરોનાકાળમાં ગત વર્ષે આ યાત્રા સાદગીપૂર્ણ રીતે કઢાઈ હતી.

આ વર્ષે કરી નિર્ણય લેવાયો નથી. જોકે આ વચ્ચે રથયાત્રાના આકર્ષણ સમા ભગવાનના વાઘા વૃંદાવનથી સુરત આવી ચુક્યા છે. જેને વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોને ભેગા થઈને તૈયાર કર્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી પેઢી દર પેઢી કારીગરો આ વાઘા તૈયાર કરે છે. એટલું જ નહીં તેમના તૈયાર કરાયેલા વાઘાને લઈને અન્ય દેશોથી પણ તેમને વાઘાના ઓર્ડર આવે છે. ઈસ્કોન પ્રમુખ વૃંદાવન પ્રભુજીએ કહ્યું કે, અઢી મહિનામાં ૪ કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા છે. સાથે જ જરદોશી વર્ક, ચાંદીના વરખ અને વિવિધ સ્ટોન લગાવીને વાઘાને આકર્ષક ઓપ અપાયો છે. રેશમ, વેલ્વેટ અને વિસકોસના કાપડથી તૈયાર કરાયેલા એક વાઘાની કિંમત દોઢ લાખથી પણ વધુ છે.

જયદીપ રાઠોડ : સુરત

Advertisement

Share

Related posts

ભરૂચમાં તૌકતે વાવાઝોડાને પગલે થયેલ નુકસાન સંદર્ભે ભરૂચ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

ગોધરા બી ડીવીઝન પોલીસે પશુઓને કતલ કરવાના ઇરાદે લઇ જતા બે ઈસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

ઝઘડીયા : સારસા માતાના ડુંગરનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!