Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકોને હાલાકી : સુરત વરાછાને જોડતું ગરનાળુ મેટ્રો ટ્રેનના કામકાજ માટે બંધ કરતા દરરોજનો ટ્રાફિક સર્જાયો : સ્થાનિક વેપારીઓના ધંધા પર માઠી અસર.

Share

સુરત વરાછાને જોડતું ગરનાળુ મેટ્રો ટ્રેનના કામકાજ માટે વગર નોટિસે બંધ કરતા ટ્રાફિક સર્જાય અને સ્થાનિક વેપારીઓમાં ધંધા ઉપર માઠી અસર પડશે. કોરોના કાળને બે વર્ષ જેટલો સમય થયો છે અને લોકડાઉન, અનલોક અને અલગ અલગ નિયમો તળે વેપારીઓની હાલત પણ દયનીય છે ત્યારે આ બધુ બંધ હતું ત્યારે અણધડ વહીવટ કરતા અધિકારીઓને ન સુજ્યું અને હવે માંડ માંડ ધંધા રોજગાર ખુલી રહ્યા છે ત્યારે જે કામ લોકડાઉન સમયગાળા દરમિયાન કરવાનુ હતુ તે જ કામ અનલોક બાદ હાથ ધરવામા આવ્યુ છે, જેથી સુરત મહનગરપાલીકાના વહીવટી તંત્રમા ચોક્ક્સપણે ગાબડુ દેખાય રહ્યુ છે.

ત્યારે આ ગરનાળાનું કામ યાદ આવ્યું અને વગર નોટિસે ઓચિંતા આજે કામકાજ ચાલુ કરતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો. સુરત સ્ટેશન અને સુમુલ ડેરીનો મુખ્ય રસ્તો હોવાથી વરાછા ગરનાળાથી લઈને કાપોદ્રા સુધી ટ્રાફિક જામ થઈ જાયે તેવી સ્થિતિ છે ત્યારે હાલ મળતી વિગતો મુજબ અધિકારીઓને પણ ભાન થયું અને કંઈક પોતે ભૂલ કરી છે તેવો ખ્યાલ આવતા હાલ પૂરતું વરાછા ગરનાળુ ખુલ્લું મૂકી દેવાયું છે ને મેટ્રો ટ્રેનનું કામ બંધ કરાયું છે. જેથી સ્થાનિક વેપારીઓ તંત્ર વિરુધ્ધ રોષે ભરાયા હતા.

Advertisement

જયદીપ રાઠોડ, સુરત.


Share

Related posts

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેટરપિંડી જેવા ગુનાઓ કરનાર રિઢો ગુનેગાર ઝડપાયો

ProudOfGujarat

એકતાનગર ખાતે યોજાઈ રહેલી ૧૦ મી ચિંતન શિબિરનો આરોગ્ય વન ખાતે યોગાભ્‍યાસથી બીજા દિવસનો કરાયો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ : દોઢ વર્ષ પહેલા કોહિનૂર સોસાયટીમાંથી ચોરી થયેલ ઈકો ગાડીના સિકલીગર ગેંગ પૈકીનાં એક ઇસમની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!