Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેર જિલ્લાના તમામ જનસેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૦૨ જૂનથી રાબેતા મુજબ શરૂ કરાઈ.

Share

સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણમાં સતત વધારો થતાં સરકારની વખતો વખતની માર્ગદર્શિકા મુજબ તકેદારીના ભાગરૂપે શહેર-જિલ્લાની મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા કચેરી હસ્તકની તમામ પુરવઠા ઝોનલ કચેરીઓ આધિકારિક હુકમ ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવી હતી. પરંતુ હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ક્રમશ: નિયંત્રિત થઈ રહી હોવાથી શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને વાવાઝોડાની રાહત કામગીરીને ધ્યાને લેતાં નાગરિકોને જનસેવા કેન્દ્રો, ઈ-ધરા કેન્દ્ર તથા પુરવઠા કેન્દ્રો પર સેવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને ધ્યાને લઈને શહેર-જિલ્લાના તમામ જન સેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૦૨ જૂનથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. અરજદારો તથા મુલાકાતીઓએ આ કેન્દ્રો ખાતે ફરજિયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને કોવિડની સત્તાવાર ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે એમ નિવાસી અધિક કલેકટરશ્રી એસ. ડી. વસાવાની યાદીમાં જણાવાયું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરમાં આવેલ LIC ઓફીસ ખાતે “વર્લ્ડ નો તમાકુ ડે” નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરની ચંદ્રબાલા મોદી એકેડમીના રજતજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ભારતીય જનતા પાર્ટી લખતર મંડલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!