Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામાથી લગ્ન સમારંભ કે અંતિમવિધિમાં ૫૦ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

Share

વૈશ્વિક મહામારીના કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ રાજય સરકારના દિશા-નિર્દેશો અનુસાર સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા શહેર પોલીસ કમિશ્રેટ વિસ્તારમાં તા.૧૪/૪/૨૦૨૧ થી ૩૦/૪/૨૦૨૧ સુધી જરૂરી પ્રતિબંધાત્મક હુકમો કર્યા છે.

જાહેરનામા અનુસાર લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦ થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહી. કરફયુના સમય દરમિયાન શહેરી વિસ્તારમાં લગ્ન/સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો કરી શકશે નહી. મૃત્યૃની અંતિમવિધિ/ઉત્તરક્રિયામાં ૫૦ થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહી. જાહેરમાં રાજયકીય/ સામાજિક/ ધાર્મિક કાર્યક્રમો/ સત્કાર સમારંભો, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એપ્રિલ માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહી. તથા જાહેરમાં લોકો એકત્ર થઈ શકશે નહી. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦ મી એપ્રીલ સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો પર મર્યાદિત સંખ્યામાં પુજા વિધિ કરવાની રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Advertisement

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

ગાંધીનાં ગુજરાતમાં દારુની રેલમછેલ ! ઝઘડીયા નજીક રૂ. ૪૫ લાખનો વિદેશી દારુ ઝડપાયો.

ProudOfGujarat

માનવ સેવા ટ્રસ્ટ સાણંદના ચેરમેને પોતાના જન્મદિવસની ઉજવણી કનબુડી પ્રાથમિક શાળાના બાળકો સાથે કરી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ઝીંક પ્રોજેક્ટને મંજૂરી ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!