Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછામાં વર્ષો જુની પાણીની લાઇન બદલીને હાલમાં નાંખેલી નળી નળીકાની જોડાણની કામગીરી કરવાના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી બિલકુલ નહિ મળી શકે.

Share

સુરતના વરાછામાં વર્ષો જુની પાણીની લાઇન બદલીને હાલમાં નાંખેલી નળી નળીકાની જોડાણની કામગીરી કરવાના કારણે 28 મીએ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી બિલકુલ નહિ મળી શકે તેમ જણાવવામાં આવ્યું છે. વરાછામાં વૈશાલી હેલ્થ સેન્ટર જંકશન ચાર રસ્તા ખાતે વરાછા મેઇન રોડ, ખાંડ બજાર સૂર્યપુર રેલવે ગરનાળા નજીક અંદાજીત વર્ષ 1969માં નાંખવામાં આવેલી નળીકા જર્જરિત થઇ ગઇ છે. જેથી આ નળીકાને બંધ કરી નવી નાંખવામાં આવેલ 1219 મીમી વ્યાસની એમએસ નળીકાને હયાત 1219 મીમી વ્યાસની પાણી પુરવઠાની એમએસ નળીકા સાથે જોડાણની કામગીરી આગામી તારીખ 27મી ફેબ્રુઆરીના રોજનાં રોજ રાતે 11 થી 29 ના સવારે 5 કલાક દરમ્યાન હાઇડ્રોલિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જેથી હેડ વોટર વર્કસ, સરથાણા વોટર વર્કસ, ઉમરવાડા જળ વિતરણ મથક, કતારગામ, સીંગણપોર, ખટોદરા, અઠવા, ઉધના ચીકુવાડી, ઉધના સંઘ, અલથાણ, ભીમરાડ, ડુંભાલ, વેસુ, કિન્નરી સહીતના જળવિતરણ મથક ખાતેથી શહેરમાં પહોંચાડવામાં આવતો પાણી પુરવઠો નહિવત મળે જ્યારે 29 મીએ ઓછા પ્રેસરથી મળે તેવી શક્યતાઓ વ્યક્તે કરવામાં આવી રહી હોવાથી આ અંગેની જાણ સાથે નોંધ લેવા શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભારે કરી : ભરૂચમાં ઇમરજન્સી સર્વિસીસ માટે નિયુક્ત ફાયર બ્રિગેડના કર્મચારીઓને રખડતા પશુઓ હાંકવાના કામે લગાડાયા.

ProudOfGujarat

નર્મદા નદીમાં આફતનો પૂર : ભરૂચ ખાતે ડૂબી જતાં કુલ 3 ના મોત, ખેતીને ભારે નુકશાન, જમીનોનું પણ ધોવાણ.

ProudOfGujarat

અંકલેશ્વર : અંદાડા ગામે ઘરની દીવાલ ધરાશાયી થતાં ભાઈ- બહેનને ઇજાઓ પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!