Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની હજીરા-સુંવાલી માઇનોર કેનાલમાં પાણી છોડવા સિંચાઇ વિભાગને ખેડૂતોનાં કાલાવાલા.

Share

સુરતનાં 9 જેટલા ગામોનાં ખેડૂતોને પાણીનો કાળો કકળાટ થયો છે. સુરત સિંચાઇ વિભાગનાં 9 ગામો ભટલાઈ, દામકા, વાસવા, મોરા, રોજાગરી સહિતનાં ગામોને સિંચાઈનું પાણી 10 દિવસથી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનાં ઊભાં પાકને ભારે નુકસાન થશે તેવી દહેશત ખેડૂતોએ વ્યકત કરી છે. ખેડૂતોએ ખેતીની જમીન ઉદ્યોગો માટે આપી છે અને જો ઉદ્યોગોને પાણી મળી શકતું હોય તો પછી ખેડૂતોને કેમ નહીં. છેલ્લાં કેટલાક દિવસથી પાણી બંધ છે માટે તેમણે સિંચાઇ વિભાગને લેખિત અરજી કરી 25 દિવસ સુધી નહેરમાં સિંચાઇ માટે પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી છે. જો પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો જલ્દ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ફલશ્રુતિ નગર વિસ્તારમાં ધોળે દહાડે મહિલા પર ચપ્પુ વડે હુમલો થતા ચકચાર મચી, ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી.

ProudOfGujarat

લીંબડી ખાતે આવેલ મોટાવાસ વિસ્તારમાં મકવાણા પરિવારે મહંતનુ સ્વાગત કર્યું.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં સૌથી વધુ હોટેસ્ટ ડે…ઠેર-ઠેર ચક્કર આવવાના બનાવો બન્યા.હજી પણ તાપમાન વધે તેવી સંભાવના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!