Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરનાં પુણા-કુંભારીયા રોડ પર આવેલા રધુવીર સિલિયમ માર્કેટમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ બન્યો.

Share

રધુવીર માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેણે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગ એટલી વિકરાળ છે કે મોડી રાતે લાગેલી આગ પર સવારે સાત વાગ્યા સુધી પણ કાબૂ મેળવાયો નથી. 14 માળના રધુવીર માર્કેટના તમામ માળ આગની ઝપેટમાં આવી ગયા છે. આગ પર કાબૂ મેળવવા માટે શહેરના ફાયર વિભાગની તમામ ટીમો ધટનાસ્થળે પહોંચી છે. ઉપરાંત બારડોલી, સચિન, નવસારી સહિત આસપાસના ફાયર સ્ટેશનની ગાડીઓ પણ મદદે આવી છે. સદનસીબે હાલ જાનહાનિના કોઇ અહેવાલ નથી. મળતા અહેવાલ અનુસાર ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે 50 થી વધુ ફાયર ફાઈટર ધટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. નીચેના માળમાં આગ પર કાબૂ મેળવી લીધો હોવાના પ્રાથમિક અહેવાલ છે. જોકે ઉપરના માળમાં હજુ પણ આગ કાબૂમાં આવી નથી. 3 હાઈડ્રોલિક ક્રેનથી પણ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

Share

Related posts

સુરતમાં સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ ફસાતા ફાયરે કોંક્રિટની દીવાલ તોડી લોકોનું રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભાજપ સરકારનુ ભ્રષ્ટ્ર અને નિષ્ફળ તંત્ર લાચાર હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનુ આવેદન

ProudOfGujarat

માંગરોળ : વેરાકુઇ ગામે ચેકડેમમાં વૃદ્ધે આત્મહત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!