Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વસંતભીખાનીવાડીમાં ભરાતા શાકભાજી માર્કેટના લીધે ટ્રાફિક જામ થતો હોવાની સમસ્યા ઊભી થતાં સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મહાનગર પાલિકાની દબાણ શાખાને રજૂઆત કરવામાં આવી.

Share

સુરત શહેરમાં આવેલ લંબે હનુમાન રોડ પર વસંતભીખાનીવાડીમાં કેટલાક વર્ષોથી શાકભાજી માર્કેટ ભરાય છે. અહીં ભરાતા શાકભાજી માર્કેટના લીધે ટ્રાફિક જામ થતો હોવાની સમસ્યા ઊભી થતી હતી. જેને લઇને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મહાનગર પાલિકાની દબાણ શાખાને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત શાકમાર્કેટમાં દબાણ હટાવતા લારીવાળા અને પાલિકાની ટીમ વચ્ચે સંઘર્ષ થયો હતો. જ્યારે લારીઓની સાથે સાથે શાકભાજી પણ ઉઠાવીને લઈ જતા લારી સંચાલકો રોષે ભરાયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક કોર્પોરેટરના કહેવાથી આ કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઇને વેપારી આલમ પણ કોર્પોરેટર સામે રોષે ભરાયેલા હતા. તેઓ દ્વારા આ મામલે આગામી દિવસોમાં કોર્પોરેટર સામે તથા પાલિકા નીતિ સામે વિરોધ કાર્યક્રમ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના ૪૫ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના તળાજા,અલંગ મા સવારથી વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું વરસાદી માહોલ જામ્યો વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત

ProudOfGujarat

નર્મદામાં પુરની સ્થિતિ સર્જાતા ઝઘડિયાના કાંઠા વિસ્તારના ૧૨ ગામોને એલર્ટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!