Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉકાઈ માઇનોર કેનલોનું પાણી સત્વરે ચાલુ કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત.

Share

સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં આવેલાં મહુવેજ કોસંબા પડવાઈ રવીદ્રા પાનોલી લાઈન ઉપર આવેલાં ગામડાઓમાં અતિવૃષ્ટિનાં કારણે પાક સદંતર નિષ્ફળ જતાં શિયાળુ પાકની ખેતીનો ઉછેર કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં ઉકાઈ ડેમની માઈનોર કેનલોમાં પાણી બંધ કરી દેતાં ખેડૂતો નિરાશ થઈ ગયાં છે.
ઉકાઈ ડેમમાં પાણી પુસ્કર પ્રમાણમાં ભરાયેલું છે છતાં પણ માઇનોર નહેરોમાં ખેડૂતોને ખેતરોમાં વાવેતર કરાયેલાં પાકો માટે પાણીનાં વલખાં મારી રહ્યાં છે.આ અંગે રજુઆત ગુજરાત જમીયતે ઉલેમાંનાં સેક્રેટરી ભરુચ જિલ્લાનાં સામાજીક કાર્યકર અબ્દુલ કૈયુમ પટેલે મુખ્યમંત્રીને રજુઆત કરી સુરત ભરુચ વડોદરા જિલ્લા ખેડૂતોને નર્મદાની નહેરોનાં પાણી છોડી ઉભા પાકોને બચાવી લેવાં ભાર પૂર્વક લેખિતમાં રજુઆત કરી છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસે એમએસએમઈ માટે ત્રણ નવા વીમા ઉકેલો પ્રસ્તુત કર્યા

ProudOfGujarat

હોટલ દર્શન પાસેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ ગાડી  ઝડપી પાડી……

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાના ભુમલીયા ગામમાંથી પ્રથમવાર દુર્લભ જાતિનો રેતીયો સાપ મળી આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!