Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની એથર કંપનીમાં આગ દુર્ઘટનાનો મામલો, ગુમ થયેલા 7 કામદારોના 24 કલાક બાદ હાડપિંજર મળ્યા

Share

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી કંપનીમાં ગઈકાલે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી જેમાં 7 કર્મચારીઓ ગુમ થયા હતા ત્યારે હવે આજે તેમના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે આ આગની ઘટનામાં 27 કર્મચારીઓ દાઝ્યા હતા જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યે ભયંકર આગ લાગી ગઈ હતી. સ્ટોરેજ ટેન્કમાં લિકેઝ બાદ આગ લાગતાં જ બ્લાસ્ટ થયો હતો. જેથી આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 10થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી હતી અને 7 કલાકના અંતે આગ પર કાબુ મેળવાયો હતો. આ આગની ઘટનામાં 7 જેટલા કર્મચારીઓની કોઈ ભાળ મળી ન હતી અને તમામની શોધખોળ ચાલુ હતી ત્યારે હવે આજે તમામ 7ના મૃતદેહ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં 27 જેટલા કર્મચારીઓ દાઝ્યા હતા જેમાં ત્રણની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરાથી 1200 જેટલા પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતનમાં જવા વિશેષ ટ્રેનમાં રવાના થયા.

ProudOfGujarat

૧૨ મી જુલાઈએ ભગવાન જગન્નાથજીનગરચર્યાએ નીકળશે..

ProudOfGujarat

માંગરોળ : સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર- ગોરધા -વડ ઉદવહન સિંચાઇ યોજનામાં વિસ્તરણની કામગીરીનો ખાતમુહૂર્તનો કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!