Proud of Gujarat
FeaturedGujaratINDIA

અનાજ ન મળતુ હોવાની રજુઆત સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીએ ઉમરપાડાની બે ગામોની સસ્તા અનાજની દુકાનોના પરવાના મોકુફ કર્યા.

Share

તાજેતરમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડગામ તથા સરવણ ફોકડી(નાની ફોકડી) ગામોમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના લાભાર્થીઓને અનાજ ન મળતુ હોવાની નાગરીકોની ફરિયાદોના આધારે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની રજુઆત તેમજ વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલો અંતર્ગત મામલતદાર દ્વારા આકસ્મિક તપાસણી કરીને વડગામની દુકાનના આઠ કાર્ડધારકો તથા સરવણ ફોકડી ગામના છ કાર્ડધારકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસણી દરમિયાન જોવા મળેલી ક્ષતિઓ/ગેરરીતિઓ પરત્વે વિગતવાર અહેવાલના ગુણદોષની ચકાસણી કરીને સુરત જિલ્લા પુરવઠા અધિકારીએ બન્ને દુકાનોના પરવારનેદારનો તા.૨૮/૪/૨૦૨૩ ના હુકમોથી ૯૦ દિવસ તથા ૬૦ દિવસ માટે મોકુફ કરવામાં આવ્યો છે. હાલ બન્ને પરવાનેદારો વિરૂધ્ધ જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ કેસની કાર્યવાહી ચાલુ છે. જેમાં કેસના ગુણદોષના આધારે આખરી નિર્ણય લેવામાં આવશે. બન્ને ગામોની દુકાનના લાભાર્થીઓને નિયમિત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમ સુરત જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વિરમગામ ના સચાણા ગામ ખાતે શ્રી કેશર કુંભ કુટુંબ યાત્રા નું પુજન કરી ઉમકળાભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

માંગરોળ : કંટવાવ ગામના નવનિર્મિત ભગવાન કરુણાસાગર મંદિરે ત્રિદિવસીય પટ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

શહેરા મામલતદાર જી.એમ.વણઝારા વયનિવૃત થતા વિદાય સભારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!