Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના આમલી દાબડા ગામે વંટોળિયો ફુકાતા ખેડૂતનું ઘર પડી જતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો

Share

ઉમરપાડાના આમલી દાબડા ગામના ખેડૂત નગીનભાઈ ખાલપાભાઇ વસાવા સામાન્ય ખેતીવાડી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગ્રામ પંચાયત દફતરે 248 નંબર વાળી મિલકત ધરાવે છે અને ત્યાં જૂનું ઘર તોડી હાલ નવું ઘર બનાવતા હતા અને મહત્તમ ઘરનું કામ પૂરું થઈ ગયું હતું ત્યારે બપોરના સમયે વાતાવરણે એકાએક પલટો લીધો હતો અને અચાનક વંટોળિયો ફૂંકાયો હતો અને આ વંટોળિયા એ નવા બનેલા ઘરને ઝપેટમાં લેતા ઘર પડી ગયું હતું ખેડૂતને નુકસાન થતા સમગ્ર પરિવાર નિરાશામાં ગરકાવ થયો હતો. ખેડૂતે આ બાબતે ગ્રામ પંચાયત કચેરીને જાણ કરતા ફરજ પરના તલાટી કમ મંત્રી એ સ્થળ પર આવી પંચ કયાશ કર્યો હતો જેમાં 50 જેટલા પતરા તૂટી જતા રૂપિયા 35,000 નું નુકસાન તેમજ અન્ય માલ સામાન મળી કુલ ₹ 50,634 નુકસાન થયું છે જે અંગેનો રિપોર્ટ તાલુકા કક્ષાએ કરવામાં આવ્યો છે ત્યારે સરકારના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂત પરિવારને સત્વરે સહાય કરે તે જરૂરી બન્યું છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વાલીયા તાલુકાનાં ડહેલી ગામથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ ભાવનગર ખાતે જવા રવાના થયા હતા.

ProudOfGujarat

ભરૂચ : રોટરી કલબનાં વેકસીન સેન્ટરમાં કોવિડ-19 નાં નિયમોનો સરેઆમ ભંગ…

ProudOfGujarat

ભરૂચ : દિવાળીમાં તેજી રહેશે કે મંદી વેપારીઓ ચિંતામાં ગરકાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!