Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મહાશિવરાત્રીના પર્વે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા

Share

વહેલી સવારથી જ સુરત શહેરના તમામ મહાદેવ મંદિરોની અંદર ભીડ ઉમટી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અને દૂધથી અભિષેક કરવામાં આવતો હોય છે. શિવાલયોમાં આજે મોટી સંખ્યામાં ભક્તોએ દૂધ આભિષેક કરીને મહાદેવને પ્રસન્ન કરવા પૂજા કરી હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક મંદિર પૈકીનું એક છે. તાપી નદીના કિનારે ભગવાન શિવના અનેક શિવાલયો આવેલા છે જે પૈકીનું પ્રાચીનતમ કંતારેશ્વર મહાદેવ મંદિરને માનવામાં આવે છે. વહેલી સવારથી જ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના શિવ ભક્તોએ કરી હતી. વહેલી સવારે ચાર વાગ્યાથી કંતારેશ્વર મહાદેવ મંદિર વહેલી સવારે આરતી કરવામાં આવી હતી. આજે આખી રાત શિવ સ્તુતિ અને શિવ ધૂન કરવામાં આવશે. આ સાથે પાલ વિસ્તારના એકલિંગજી શિવલિંગ, પરદેશ્વર મહાદેવ મંદિર, રામનાથ ઘેલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી.

Advertisement

Share

Related posts

કોરોનાની ત્રીજી લહેરના અનુમાનને પગલે હાઈકોર્ટે રૂપાણી સરકારને હાઇકોર્ટનો આદેશ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કુલ 131 ઔદ્યોગિક એકમો/કારખાનાઓને કામગીરી શરૂ કરવા મંજૂરી અપાઈ.

ProudOfGujarat

સુરત : કોરોનાએ ફરીથી માથું ઉચક્યું : એક સાથે પાંચ બાળકો કોરોના પોઝિટિવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!