Proud of Gujarat
GujaratFeaturedINDIA

આ સરકારે દેશને રસ્તા પર લાવી દીધો: સુરતમાં સર્વધર્મ સંકલ્પ સંમેલનમાં બોલ્યા અહેમદ પટેલ

Share

 

સુરતઃ સ્વ.રિઝવાન ઉસ્માનીની જન્મ જયંતી પર પાંડેસરાના વડોદ ખાતે સર્વધર્મ સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દેશભરમાંથી કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વએ સુરત ખાતે હાજરી આપી હતી. જેમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસના ટ્રેઝરર અહેમદ પટેલે જણાવ્યું કે, આ સરકારે દેશને રસ્તા પર લાવી દીધો છે. સત્તામાં રહેવા માટે ભાજપ મહાત્મા ગાંધીનું નામ લે છે પરંતુ તેમના મનમાં પાપ છે. દેશમાં બેરોજગારી વધી છે, આતંકવાદ પર કોઈ અંકુશ નથી. ભાજપ ખેડૂતો અને દેશના યુવાનો વિશે ચિંતા નથી કરતો. સુરતમાં ટ્રેનની માંગ સાથે ઉત્તર ભારતીયોએ આંદોલન કર્યું તો તેમની સાથે મારપીટ કરવામાં આવી. ઉત્તર-પૂર્વ ભારતિયો ની ટ્રેન સમસ્યાને ઉકેલવા માટે અમે પ્રયાસ કરીશું.
ભારતની વર્તમાન સરકાર પ્રમાણિક નથીઃ રાજ બબ્બર

Advertisement

ફિલ્મ અભિનેતા અને યુપીના સાંસદ રાજ બબ્બરે ભાજપ પર સરસંધાન કરતાં કહ્યું હતું કે, સુરતમાં 6 લાખ લૂમ્સ હતા, જેમાં મોદી સરકારની ખોટી નીતિઓના કારણે બે લાખ લૂમ્સ બંધ થઈ ગયાં અને મજુરો બેરોજગાર થઈ ગયાં. હું એ નહીં કહીશ કે કોઈ અપ્રમાણિક છે, પરંતુ હું ચોક્કસપણે કહું છું કે, ભારતની વર્તમાન સરકાર પ્રમાણિક નથી. રાફેલ કૌભાંડ કરી ને જનતાના ખિસ્સામાંથી42,000 કરોડ રૂપિયા કાઢી લઈ ઉદ્યોગપતિ મિત્રના ખિસ્સા મૂકી દીધા, આજે બે વિચારની વચ્ચે લડત છે, એક છે રામ કહેનારી અને એક છે રામ કહેનાર ને ગોળી મારનારી, ગોડસેના અનુયાયીઓને સત્તામાંથી ભાગવું પડશે…સૌજન્ય


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની યોજાનારી પૂરક પરીક્ષાઓનું જાહેરનામું.

ProudOfGujarat

*વિશ્વ પૃથ્વી દિવસ ના થોડા ક જ કલાકો પેહલા ભરૂચ જિલ્લા માં ભૂકંપ નો આંચકો પ્રજા ને ચેતવણી સમાન* *પર્યાવરણ સાથે ચેડાં કરવા ચિંતાજનક*

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે ફૈઝ યંગ સર્કલ કરજણ વક્ફ કમીટી દ્વારા જલારામ નગર પ્રાથમિક શાળા તેમજ હુસેન ટેકરી મદ્રેસાએ હુસેનીયા ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!