Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાનાં ઉભારીયા ગામે ખેતરમાં પડી ગયેલ વીજપોલ ઉભો કરવા ખેડૂતની વીજ કંપનીને રજૂઆત.

Share

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે ખેતરમાં પડી ગયેલ વીજ પોલ ઉભો કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં ઉમરપાડા વીજ કંપનીના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ બેદરકાર બનતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ઉભારીયા ગામના ખેડૂત છનાભાઈ ચામળભાઈ ચૌધરીની માલિકીની સર્વે નંબર 36 વાળી જમીનમાં છેલ્લા કેટલાક સમયથી કૃષિ વીજ લાઈનનો વીજપોલ પડી ગયો છે. આ બાબતે ખેડૂત દ્વારા વીજ કંપનીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉભારીયા ગામના સરપંચ દ્વારા વીજ કંપનીના ઇજનેરને લેખિતમાં પણ રજૂઆત કરી છે છતાં કોઈપણ જાતની કામગીરી વિજ કંપની દ્વારા કરવામાં આવતી નથી. હાલમાં શિયાળુ પાક ખેડૂતો લેતા હોય છે જેથી વીજળીની તાતી જરૂરીયાત ખેડૂતોને હોય છે ત્યારે ખેતરમાં પડી ગયેલ વીજપોલ તાત્કાલિક ધોરણે ઊભો કરવામાં આવે તેવી ખેડૂતની માંગ છે. વીજ કંપની દ્વારા ખેડૂતની ફરિયાદ સંદર્ભે કોઈ કાર્યવાહી નહીં થાય તો આખરે ઉચ્ચકક્ષાએ જવાબદારો અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવા રજૂઆત સરપંચ અને ખેડૂત કરનાર છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

મોંધવારીની લાચારી : સુરતમાં પતિના મૃત્યુ બાદ લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક મૃતદેહ પાસે બેસીને મદદની પુકાર લગાવતી રહી પત્ની.

ProudOfGujarat

ભરૂચ ના નેશનલ હાઇવે ઉપર આવેલ આર ટી ઓ નજીક ના શોપીંગ ખાતે બેકાબુ બનેલા ટેન્કરે દુકાન સહીત વાહન માં ઘુસાડી દેતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો ………..

ProudOfGujarat

ભરૂચમાંથી દેશી તમંચા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!