Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પીપલોદમાં ગટર સાફ કરવા ઉતરેલ ત્રણ કામદારો ગૂંગળાઇ જવાથી બે ના મોત.

Share

આજે સુરત ખાતેથી એક દુઃખદ ઘટના સામે આવી હતી, જ્યાં ગૂંગળામણને કારણે બે શ્રમિકોના મોત થતા વિસ્તારમાં માતમ છવાયો હતો. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ SVNIT કોલેજની ગટર સાફ કરવા ત્રણ જેટલા કામદારો ઉતર્યા હતા, જ્યાં તેઓને ગૂંગળામણ થતા તેઓની તબિયત અંદર લથડી હતી, જે બાદ ત્રણેયને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ત્રણ પૈકી બે કામદારોના ઘટનામાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક સારવાર હેઠળ છે. કામદારોના મોત બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું, અને સામે દિવાળીના પર્વે જ પરિવારમાં માતમ છવાયો છે, તો ઘટનાની જાણ થતાં જ પાલિકની ટિમ દોડતી થઈ હતી,તો બીજી તરફ સ્થાનિક પોલીસે પણ મામલે નોંધ લઇ મૃતકોની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે સરપંચ સંમેલનમાં CM રૂપાણીએ હાજરી આપી ભાજપા કાર્યાલયનું લોકાર્પણ કર્યું.

ProudOfGujarat

મંગળવારનું રાશિફળ : જાણો ક્યાં રાશિના જાતકોની ખુલશે કિસ્મત, તો ક્યાં રાશિના જાતકોને થશે નુકશાન.

ProudOfGujarat

નેત્રંગમાં ટેમ્પામાંથી સામાન ઉતારતી વખતે વીજ કરંટ લાગતા શ્રમિકનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!