Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત.

Share

શહેરના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં શંકરનગર ખાતે રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બાળકીને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ મોતને ભેટી છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા રાકેશ દાસ ફૂટની લારી ચલાવી પત્ની કિરણદેવી અને બે પુત્ર તથા ત્રણ પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.

દરમિયાન રાકેશની ત્રણ પુત્રી પૈકી પાંચ માસની શિવાનીને સોમવારે રાતે સ્તનપાન કરાવ્યું હતું. પાંચ માસની શિવાની સવારે નહીં જાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શિવાનીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત અંગનું સચોટ કારણ જાણવા માટે રાંદેર પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ કારણ જાણવા મળશે. વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દેખાયેલા દિપડાને રેસ્ક્યુ કરાયો

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતેથી કારમાંથી રૂપિયા ૭૫ હજારની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયામાં વધતા જતા ચોરીઓનાં બનાવો અટકાવવા સ્થાનિક આગેવાનોએ કરી પોલીસમાં રજુઆત, એક બાદ એક અનેક બનાવોએ ગ્રામજનોને મુકયા ચિંતામાં..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!