Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : માંડવી તાલુકાના આમલીડેમમાં મૃત્યુ પામનારને રૂપિયા ચાર લાખની સહાય આપવાનો પ્રસ્તાવ સ્વીકાર કરતા મુખ્યમંત્રી.

Share

સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના ૧૦ ઈસમો તા.૧૧-૧-૨૦૨૨ ના રોજ નાવડીમાં બેસી આમલીડેમના સામેના ટેકરા ઉપર ઘાસચારો લેવા જતા હતા. તે સમયે અચાનક નાવડી ઉંધી થઈ ડુબી જતા ૧.મીરાભાઈ ડેભાભાઈ વસાવા ઉ.વ.૭૦, ૨.૨ાલુબેન મગનભાઈ વસાવા ઉ.વ.૫૫, ૩.મગનભાઈ નગરીયાભાઈ વસાવા ઉ.વ.૬૦, ૪. રાયકુબેન મગનભાઈ વસાવા ઉ.વ.૫૫, ૫.પુનીયાભાઈ નગરીયાભાઈ વસાવા ઉ.વ.૬૫, ૬.દેવનીબેન પુનીયાભાઈ વસાવા ઉ.વ.૬૩ તથા ૭.ગીમલીબેન રામસિંગભાઈ વસાવા ઉ.વ.૬૨ નું મરણ થયેલ, આપી આ બાબતની જાણ પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાને તથા માન.સાંસદ પ્રભુભાઈ વસાવાને જાણ થતા ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મરણ પામેલ ઈસમોને સરકારમાંથી જરૂરી સહાય મળે તે માટે માન.કેબીનેટ મંત્રી નરેશભાઈ પટેલ, માન.કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, માન.સાંસદ પ્રભુભાઈ વસાવા તથા સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપભાઈ દેસાઈએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને માન.મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ ૨જુઆત ક૨તા સરકારમાંથી મૃત્યુપામનાર દરેક ઈસમોને રૂા.૪ લાખની સહાય મંજુર મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

આમ સરકાર તરફથી સહાય મળતા દેવગીરી ગામનાં પ્રજાજનો તથા માંડવી તાલુકાના આગેવાનો ત૨ફથી માન.કેબીનેટ મંત્રી નરેશભાઈ પટેલ, માન.કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, માન.સાંસદ પ્રભુભાઈ વસાવા તથા સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપભાઈ દેસાઈએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને માન.મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

વડોદરા : નાના હબીપુરા પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા યુનાઇટેડ ઇન્ડિયન ઇન્સ્યોરન્સ કંપનીનાં શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

આજે બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 4 રાશિઓ પર થશે ધનનો વરસાદ.

ProudOfGujarat

“सुपर 30” में पटना स्थित बिहारी शिक्षक के रूप में रितिक रोशन को पहचान पाना हुआ मुश्किल!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!