Proud of Gujarat
FeaturedGujaratINDIA

કીમ ગામ ખાતે આવેલા એલ.સી.નં.૧૫૮ પર આર.ઓ.બી. બાંધવા માટે કામગીરી શરૂ હોવાથી રૂટ તા.૨૮ મી ફેબ્રુ.૨૦૨૨ સુધી બંધ રહેશે.

Share

સુરત જિલ્લાના સાહોલ કીમ-માંડવી રોડ પરના કિમ ગામ ખાતે આવેલા એલ.સી.નં.૧૫૮(સાયણથી કિમ સ્ટેશન વચ્ચે) પર આર.ઓ.બી. બાંધવા માટે વાહન વ્યવહાર સરળતાથી ચાલે તથા અકસ્માત ન સર્જાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલા દ્વારા એક હંગામી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ સુરત જીલ્લામાં આવેલા કાર્યપાલક ઈજનેર, (મા.મ.) વિભાગ-૨, સુરત હસ્તકના સાહોલ-કીમ-માંડવી રોડના કીમી ૧૦/૪ પર કીમ ગામમાં આવેલા એલ.સી.નં.૧૫૮ (સાયણથી કીમ સ્ટેશન વચ્ચે) પર આર.ઓ.બી. બાંધવાની કામગીરી શરૂ હોવાથી આ રસ્તા પર બંને તરફના વાહનોને તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ સમય દરમિયાન ડાયવર્ઝન તરીકે આ માર્ગોનો ઉપયોગ કરી શકાશે. જેમાં
૧) ને.હા.નં. ૪૮ થી આંબોલી થઈને કઠોર-વેલંજા-સાયણ-સંધીયેર-ઓલપાડ-માસમા-સારોલી-સુરત રૂટ પર બંને તરફ જઈ શકાશે.
૨) અંકલેશ્વર તથા આજુબાજુથી આવતા વાહનો ને.હા. નં.૪૮ થી કોસંબા ચોકડીથી કોસંબા-ખરચ-પાંજરોલી-ઓભા-સાહોલ-કદરામા-ઓલપાડ-માસમા-સરોલી થઇ સુરત રૂટ પર બંને તરફ જઈ શકશે.

Advertisement

Share

Related posts

ભરૂચની નર્મદા કોલેજમાં કાર્યક્રમનું આયોજન કરનાર કોલેજ સંચાલક અને આચાર્ય સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ…

ProudOfGujarat

માલધારી સમાજના યુવાનની ધંધુકામાં કરાયેલી હત્યાના પગલે વડોદરામાં ઘેરા પ્રત્યાઘાત.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ખાતે રેલવેની હદમાં આવતા તમામ દબાણો તંત્ર દ્વારા દૂર કરવાની પક્રિયા શરૂ કરાતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!