Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સજોદ મા બાળકો એ ઝેરી પદાર્થ ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં..

Share

અંકલેશ્વર નાં સજોદ ખાતે ખેત મજૂરોનાં બાળકોએ ભૂલમાં કોઈક ઝેરી પદાર્થ ખાઈ લેતા પાંચ બાળકોની તબિયત લથડી હતી, જે તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

અંકલેશ્વર નાં સજોદ ખાતે ખેત મજૂરીનું કામ કરતા મજૂરોનાં પાંચ બાળકોએ ભૂલ થી કોઈક ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો,જેના કારણે બાળકોની તબિયત લથડી હતી,અને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

Advertisement

આ બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ માંથી બાળકોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

બાળકોએ ખેતરમાં ડુક્કરનાં ત્રાસથી નાખવામાં આવેલી દવા ભૂલથી ખાઈ લેતા તબીયત લથડી હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે.

અંક્લેશ્વર તાલુકા પોલીસે વધુ તપાસ શરુ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ આવે છે તે જોવુ રહેશે.


Share

Related posts

મનીષનંદ સોસાયટી વિસ્તારમાં અછોડા તોડની ઘટના બનતા લોકોમાં ભય વ્યાપ્યો…

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે ગાંધી જયંતિ નિમિતે ગ્રામસભા યોજાય.

ProudOfGujarat

વનરક્ષક અને વનપાલનનાં પગાર વધારવા અંગે ગુજરાત રાજય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat
error: Content is protected !!