Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લા શિવસેના પ્રમુખ સામે થયેલા આરોપો ખોટા છે: કાર્યકરોનુ પ્રાન્ત કચેરીને આવેદન

Share

 
શહેરા,

પંચમહાલ જીલ્લા શિવસેના પ્રમુખ લાલાભાઇ ગઢવી વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ શહેરા પોલીસ સ્ટેશનમા ગોધરાના એક શખ્શે ખોટી રીતે નોધાવી હોવાના આક્ષેપ સાથે આજે શિવસેનાના કાર્યકરોએ શહેરા પ્રાન્ત કચેરીએ આવેદનપત્ર આપ્યુ હતુ

Advertisement

પંચમહાલ જીલ્લાના શિવસેનાના પ્રમુખ લાલાભાઈ ગઢવી વિરુધ્ધ ગોધરાના પ્રવિણ પારગી નામના ઇસમ દ્રારા એટ્રોસિટીની ફરિયાદ નોધાવી છે.તેના અનુસંધાનમા શહેરા તાલુકાના શિવસેનાના કાર્યકરોએ ભેગા મળીને તાલુકા પ્રાન્ત કચેરી શહેરા ખાતે જઇને આવેદન પત્ર આપ્યુ હતુ જેમા જણાવામા આવ્યુ હતુ.ગમન બારીયાના મુવાડા ગામે રહેતા પંચમહાલ જીલ્લાના લાલાભાઈ ગઢવી આદરણીય વ્યક્તિ છે.તેમની ઉપર એટ્રોસીટીની કલમ લગાડવામા આવી છે. ઘટના સ્થળ મરુડેશ્વર મંદિર બતાવે છે.તે ટાઇમે તે મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામા હતા.મરુડેશ્વર મંદિરે સીસી ટીવી કેમેરા પણ છે.તો ત્યાની તપાસ કરવામા આવેલ નથી.લાલાભાઈ દોષિત હોય તેમને કડક સજા આપવામા આવે અને જો નિર્દોષ હોય ફરિયાદી સામે કડક કાર્યવાહી કરવામા આવે .આની પાછળ કયુ રાજકીય પક્ષ જવાબદાર છે.તે બહાર લાવાનુ કામ સીબીઆઇને સોપવામા આવે તેવી માંગ કરવામા આવી છે.કાર્યકરો હાજર રહીને આવેદનપત્ર આપ્યુ હતુ.


Share

Related posts

ભરૂચના વાલિયાના ગુંદીયા થી જતા 2લાખથી વધુ ના જથ્થા સાથે 1 આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

ઝગડિયા ની નામાંકિત કંપની સેન્ટ ગોબિન ગેરકાયદેસર વેસ્ટ નિકાલ કરતા ઝડપાઈ…

ProudOfGujarat

ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થયો, શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ચાલનારા મેઘરાજા ઉત્સવમાં ભોઇ, ખારવા તેમજ વાલ્મિકી જ્ઞાતિના લોકો દ્વારા કાઢવામાં આવતી છડીયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!