Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદામા આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં તે મામલે આદિવાસીઓમાં વિવાદ વકર્યો.

Share

આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં એ મુદ્દા પર કેટલાક વખતથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે રાજપીપલા ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ આદિવાસીઓ હિન્દૂ નથી, આદિવાસી છે એવુ સ્ફોટક નિવેદન કરતા રાજકીય વિવાદ સર્જાયો છે.

ડેડીયાપાડાના BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ પોતે હિન્દૂ નથીની વાત કરી અમે આદિવાસી છીએ અને રહીશુ એમ કહેતા વિવાદ વકર્યો છે. આ અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવા એમ કહી રહ્યા હતા  કે આદિવાસીઓ આદિ અનાદિ કાળથી હિંદુઓ છે. ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જ્યાં વિશ્વના પ્રવાસીઓ આવે છે એ વિસ્તારમા એક બોર્ડ લાગતા ખળભળાટ મચ્યો છે

અને જે બાબતે ફરી ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ સુર ઉઠાવ્યો કે અમે હિન્દૂ નથી અમે માત્ર આદિવાસી છે પરંતુ ભારત દેશમાં સત્તા મેળવવા માટે લોકો હિન્દૂ શબ્દનો ઉપયોગ કરે છે. આ હિન્દૂ નામનો શબ્દ કોઈ સંવિધાનમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આદિવાસી આદિવાસી છે જેને ખોટી રીતે હિન્દૂ કહેવામાં આવે છે. આ આદિવાસી  આદિ અનાદિ કાળથી આદિવાસી છે ને રહશે અને અમે કોઈ હિન્દૂ છે નહીં અમે માત્ર આદિવાસી છે કહેતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ અલંકાર જવેલર્સમાં થયેલ અંદાજીત 17 તોલા સોનાની ચોરીના મામલામાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી એક આરોપીની અટકાયત કરી છે.

ProudOfGujarat

રાજપીપળાના સંતોષ ચાર રસ્તા તરફ DJ વગાડતા 4 ઈસમો વિરુદ્ધ ફરીયાદ નોંધી, 2 ફરાર

ProudOfGujarat

જૂનાગઢમાં સિંધી સમાજની પહેલ લગ્ન પૂર્વે થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!