Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડાના સાબુટી ગામમાં ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધકામ બંધ કરવા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું.

Share

રાજપીપલા : ડેડીયાપાડા તાલુકાના સાબુટી ગામમા ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધ કામ બંધ કરવા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આવેદનપત્રમા જણાવેલ વિગત અનુસાર નર્મદા જીલ્લો એ પાંચમી અનુસુચી અને પેસા એક્ટ નિયમ અંર્તગત લાગુ પડે છે. તેમ છતા સાબુટી ગામે અન્ય ધર્મના લોકો દ્વારા હાલ ચર્ચનું બાંધકામ કરી રહ્યા છે. આ ગામમાં આદિવાસી ગામ છે અને આ ગામમાં એક પણ ખ્રિસ્તી નથી. તે છતા ખ્રિસ્તીઓ દ્રારા બહારથી આવી ચર્ચ બનાવવામાં આવે છે. જો આ ગામમાં ચર્ચ બની જશો તો ગામની અખંડીતા અને એકતા પર અસર થશે અને ગામમાં ઝધડાનું વાતાવરણ ઉભુ થશે અને અમારી પરંપરાઅને સંસ્કૃતીનું દહન થશે. સાથે જે આ ચર્ચ બની જશે તો રાષ્ટ્ર વિરોધી ગતિ વિધિ ચાલુ થઈ જશે તેવી અમને ભીતી છે અને રાષ્ટ્ર્ર વિરોધી ગતિને બળ મળશે. તો આપ વિનંતી છે સરકારના વર્ષ ૨૦૧૧ ના ધમાંન્તરણના કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેમ છતા આ ચર્ચનું કામ જો બંધ કરાવામાં નહી આવે તો ગામમાં આ બાબતે કંઈ પણ થશે તો જવાબદારી તંત્રની રહેશે એવી ચીમકી પણ આપી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કેવડિયા શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીની પ્રવાસી સાથે છેતરપિંડી.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

વડોદરાનાં સમા વિસ્તારમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી, પરિવારનો બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!