Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : ગરુડેશ્વર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

Share

રાજપીપલા : નર્મદા જિલ્લામા કોરોનામા રક્તની જરૂરિયાતને સંતોષવા ભાજપાના કાર્યકરો આગળ આવ્યા છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમા ગરૂડેશ્વર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ પટેલ તથા કિસાન મોરચાના ઉપપ્રમુખ તથા પૂર્વમંત્રી શબ્દશરણ તડવી ગરુડેશ્વર તાલુકા ભાજપના પ્રમુખ શ્રવણભાઈ તડવી નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ તથા મહિલા મોરચા નર્મદા જિલ્લાના પ્રમુખ જયશ્રીબેન ધામેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઘણા લોકોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમને લઇને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ પટેલે જણાવ્યું હતું કે નર્મદામા રક્તની ખુબ જરૂર છે અને લોહીની અછત છે ત્યારે લોહીની જરૂરિયાતને સંતોષવા ભાજપાના કાર્યકરો આગળ આવ્યા છે. ખાસ કરીને કિસાન મોરચાએ આગેવાની લીધી છે. રક્તદાન જરૂરી હોવાથી સેવાના ભાગરૂપે અને સાથે કોરોનાની ચેન તૂટે અને સંક્ર્મણ ઘટે તે માટે વધુને વધુ લોકો રસીકરણમા જોડાય એ માટે પણ બાકી લોકોને વેક્સીન લેવાની અપીલ કરી હતી.

Advertisement

જ્યોતી જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઉપરાલી ગામે આર.એસ.એસ ના કાર્યક્રમ મા ભાગ લેવા બાબતે થયેલ મારામારી

ProudOfGujarat

ભરૂચ:દેરોલ નજીક હત્યાના મામલે પોલીસે એક આરોપીની કરી ધરપકડ, આડા સબંધ માં હત્યા થઇ હોવાનું આવ્યું સામે

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયાના ચમારીયા ગામમાંથી વૃક્ષ પર લટકતા યુવાનની લાશ મળી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!