Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલામા ભર ઉનાળે વીજળીના ધાંધિયાથી લોકો પરેશાન!..

Share

રાજપીપળામાં અત્યારે ૪૦થી ૪૨ ડિગ્રી તાપમાનનો પારો ચઢી રહ્યો છે. સવારે 9 વાગ્યાંથી જ ગરમ પવન ફૂંકાવો શરૂ થઈ જાય છે.લોકો ગરમીથી પરેશાન છે.જ્યારે રાજપીપલામા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રાજપીપળામાં ભર ઉનાળે વીજળીના ધાંધિયાથી લોકો પરેશાન થયા છે. છાશવારે ગમે ત્યારે લાઇટો ડૂલ થઈ જાય છે. ત્યારે લાઇટ વગર ગરમીમાં એસી,કૂલર, પંખા વગર રીતસરના લોકો બફાઈ જાય છે. હાલ લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હાલ રાજપીપળામાં ગરમી વધી રહી છે. તેમજ લોકોના કોરોનાની મહામારીથી પરેશાન છે ખાસ કરીને કોરોનાના દર્દીઓ,અન્ય બિમાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે છાશવારે ડૂલ થતી લાઈટોને કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ કચેરીઓમાં અને બેન્કોમાં લાઈટો જતી રહેવાને કારણે ઇન્ટરનેટ સેવાપણ ખોરવાઈ જાય છે. જેને કારણે સરકારી કચેરીઓના કામો અને બેન્કિંગ સેવા પણ ખોરવાઈ જવા પામી છે. રાજપીપળામાં વારંવાર લાઈટો જવાથી ખાસ કરીને બિમાર લોકો, ઉપરાંત વયોવૃદ્ધ લોકો, નાના બાળકો ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. લાઈટના અભાવે અસહ્ય ગરમીથી ઉકળાટને કારણે બેભાન થવાના તેમજ ચક્કર આવવાના બનાવો બનતા હોય છે. ત્યારે વીજ કંપનીના સત્તાધીશો વીજળી ના ધાંધિયા બંધ કરે તેવી માંગ લોકોએ કરી છે

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

બારડોલી પ્રદેશ મૈસુરિયા સમાજ ટ્રસ્ટ દ્વારા જવાળામુખી માતાજી મંદિર નો 16મી સાલગીરી મહોત્સવ 21/4/24 રવિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ProudOfGujarat

મોરબી-પીપળીયા ચાર રસ્તા પાસે બંધ પડેલા ટ્રેકટરની પાછળ કાર ઘુસી જતા બે ના મોત..

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણમાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!