Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનું સંક્રમણ અટકાવવા તિલકવાડા તાલુકાના જલોદરા ગામના સબ સેન્ટર ખાતે આજે ગ્રામજનો સાથે મીટીંગ યોજાઈ.

Share

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તા.૧ લી મે થી તા.૧૫ મી મે, ૨૦૨૧ દરમિયાન સમગ્ર ગુજરાતમાં “મારૂં ગામ કોરોના મુક્ત ગામ“ ના રાજ્યવ્યાપી ચાલી રહેલા અભિયાન અંતર્ગત આઇસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે તિલકવાડા તાલુકાના જલોદરા ગામના સબ સેન્ટર ખાતે આજે ગ્રામજનો સાથે મીટીંગ યોજી હતી, જેમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પોતાનાં તાલુકામાં જ વહેલી તકે સારવાર મળી રહે તે માટે કોવીડ કેર સેન્ટરોમાં સમયસર રિફર કરવા, વહેલી તકે એન્ટીજન રેપીડ ટેસ્ટ/ RTPCR ટેસ્ટ કરાવવાથી જો કોઈને કંઈ લક્ષણો જણાય તો વહેલી તકે નિદાન અને સારવાર કરી શકાય. ઉપરાંત કોરોના વિરોધી રસી લેવાની સાથોસાથ કોવિડ- ૧૯ વેક્શીનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાંની કાળજી રાખવા તેમણે જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઓલપાડ તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્તોને નુકશાની વળતર માટે ૧૨ સરવે ટીમો બનાવાઇ કામગીરી શરૂ કરાઈ

ProudOfGujarat

ભરૂચ ના સોનેરી મહેલ ઢાળ વિસ્તાર ને અડીને આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી નો ભરાવો થતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે..અને લોકો પૂછી રહ્યા છે આખરે ક્યારે તંત્ર જાગૃત થશે..?

ProudOfGujarat

ભરૂચ જંબુસર માર્ગ પરથી ચોર ખાનું બનાવી વિદેશી દારૂ વહન કરી લઇ જતી ટ્રક ઝડપાઇ, ૨૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!