Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓનાં અંતિમ સંસ્કાર માટે રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજનાં યુવાનોની માનવતાભરી કામગીરી.

Share

– રાજપીપળા કોલેજ હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસમાં 58 દર્દીઓના મોત વૈષ્ણવ સમાજે અંતિમવિધિ કરી.

– સરકારી આંકડા અને વાસ્તવિક આંકડામાં ભારે તફાવત, સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત થયા છે !

Advertisement

રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ આંક પણ વધ્યો છે. જેમાં 2 એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં 58 જેટલા દર્દીઓના મોત થયા છે. એ બાબત અગત્ય ગંભીર કહી શકાય, જોકે સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત દર્શાવ્યા છે.

મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે વૈષ્ણવ-વણીક સમાજ રાજપીપળાએ જવાબદારી સંભાળી માનવતાનું કામ કરી રહ્યા છે. ત્યાં આ તમામના રાજપીપળા કોવીડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર થયા છે. ત્યારે આવી માનવતાભરી જવાબદારી સંભાળનાર રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજના યુવાનો હાલની વિકસ સ્થિતિમાં નાત જાતના ભેદભાવ વિના સાચે જ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે જે બિરદાવવા લાયક છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

અંકલેશ્વરના સુરવાડી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ભેળસેળ યુક્ત ખાધતેલનું ખુલ્લેઆમ વેચાણ : તંત્ર ઘોરનિંદ્રામાં

ProudOfGujarat

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેવાધિદેવ મહાદેવ છોટી કાશી કહેવાતા જામનગરમાં કરશે નગરચર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!