Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પહોંચ્યો.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના આદિત્યમાં ૦૧, નાંદોદના ઓરી ૦૧, કુમસગામ ૦૧ અને ગરુડેશ્વરના કેવડિયા કોલોની ૦૨, ઝરીયા ૦૧, તિલકવાળા નલગામ ૦૧ અને ડેડીયાપાડાના ગાજરગોટા ૦૧ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૧૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૨૧ દર્દીઓ દાખલ છે. આજે સાજા થયેલ ૩૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૧૬ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૬૭૧ પર પહોંચ્યો છે.આજે વધુ ૩૨૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

લગ્ન પછી પહેલા મતદાન, અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે એક યુવતીએ પીઠી ની હાલતમાં મતદાન કર્યું…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો બોમ્બ ફૂટયો છે સાત જેટલા લોકો સંક્રમિત થઈને આવતા ભરૂચ જિલ્લામાં આરોગ્ય ખાતુ અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.

ProudOfGujarat

ભરૂચનાં આમોદ સ્થિત બેન્ક ઓફ બરોડા તેમજ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચો પર લોકોની ભારે ભીડ જોવા મળી લોક ડાઉનનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન નજરે પડ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!