Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા શહેરનાં સ્ટેશન રોડ પર રોજિંદી ગટર ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ નાસીપાસ.

Share

રાજપીપળા શહેરમાં કોરોના મહામારી વચ્ચે પણ તંત્રની મહેરબાનીથી રોગચાળો ફેલાઈ તેવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. જેમાં શહેરનાં મુખ્ય એવા સ્ટેશન રોડ માર્ગ ઉપર કાયમ ઉભરાતી ગટરોથી વેપારીઓ કંટાળી ચુક્યા છે.રોજ સવારે દુકાનો ખોલતાની સાથે જ ગટરો સાફ કરવાની નોબત આવે છે. ખતરનાક દુર્ગંધ મારતું ગંદુ પાણી જોઈ ગ્રાહકો પણ આ દુકાનોમાં ખરીદી કરવા જતાં અટકે છે. રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના તો ખોરંભે પડી છે પરંતુ સ્ટેટ સમયની ખુલ્લી ગટરો પણ યોગ્ય સફાઇ ન થતા તેનું ગંદુ પાણી માર્ગો ઉપર ફરી વળવાની રોજની સમસ્યા જોવા મળતી હોય પાલીકામાં રજુઆત બાદ પણ કોઈ ખાસ ઉકેલ ન મળતા વેપારીઓ કે સ્થાનિક રહીશો જાતે જ સફાઈ કરવા મજબુર બને છે. જોકે આમાં કેટલાક વિસ્તારોમાં લોકો પણ જાગૃત ન હોવાના કારણે ઘરનો કે આંગણાનો કચરો ગટરોમાં ઠાલવતા હોવાથી ગટર ચોકપ થતી જોવા મળે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાલીકાનાં સફાઈ કામદારો પણ કચરોવાળી લારીમાં ભરવાના બદલે ગટરોમાં ધકેલી દેતા આવી નોબત આવે છે. ત્યારે પાલીકાતંત્ર સફાઈ બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

અમદાવાદઃ પ્રહલાદનગર, સિંધુભવન, ચાંદલોડિયામાં મલ્ટિલેવલ પાર્કિંગ બનશે

ProudOfGujarat

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડનો રિટેલાઇઝેશન પોર્ટફોલિયો સપ્ટેમ્બર 30, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88% રહેવાનો અંદાજ

ProudOfGujarat

ફ્લો રજા  પરથી ફરાર કૈદીને  ઝડપી પાડતી પેરોલ સ્વ્કોડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!