Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં તિલકવાડા નજીક આવેલા મણિનાગેશ્વર મંદિર પાસેથી વનવિભાગ દ્વારા ૧૩ ફૂટ લાંબો મહાકાય મગર રેસ્ક્યુ કરાયો.

Share

પરેસ ભાઈ માછી અને અક્ષયભાઈ તડવી નામનાં યુવાનો તિલકવાડાનાં મણિનાગેશ્વર મંદિર પાસે નર્મદા નદી કિનારે ન્હાવા માટે ગયા હતા ત્યાં નદીમાંથી બહાર નિકળીને મણિનાગેશ્વર મંદિર નજીક મગર આવી પહોંચતા તેમણે એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવીને તિલકવાડા લોકલ રેસ્ક્યુ ટીમનાં નીરવ તડવીને જાણ કરી હતી. નીરવ તડવી તાત્કાલિક સ્થડ ઉપર પહોંચીને મગરને રેસ્ક્યુ કરીને ઝડપી પડ્યો હતો અને તિલકવાડાં ફોરેસ્ટ ખાતાનાં હરપાલ સિંહ ગોહિલ અને કેવડીયા આર.એફ.ઓ વિક્રમ સિંહ ગભાણાને જાણ કરી હતી. તિલકવાડાં ફોરેસ્ટ વિભાગમાં જાણ થતા તિલકવાડાં ફોરેસ્ટ વિભાગનાં હરપાલ સિંહ ગોહિલ તાત્કાલિક ધોરણે સ્થર પર પહોંચી ગયા હતા અને ૧૩ ફૂટનાં મહાકાય મગરને રેસ્ક્યુ કરીને કેવડયા કોલીની ખાતે ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર પર મોકલી આપવામાં આવેલ છે. હાલ તિલકવાડા નદીમાં 40 થી વાધુ મગર વસવાટ કરે છે અને અવારનવાર મગર દેખાય છે. ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઇ પગલાં લેવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
Advertisement :

Advertisement

Share

Related posts

આમોદ: ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશો, અનેક વખત રજુઆત છતાંય પરિણામ શૂન્ય.!!

ProudOfGujarat

કોરોનાના કેસ ઘટતા રેલવે વિભાગે ફરી અમુક ટ્રેન શરૂ કરવાનો લીધો નિર્ણય

ProudOfGujarat

ભરૂચ અનાથ આશ્રમ ખાતે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!