Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાનાં રજપૂત ફળીયામાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ પહેલા દિવસે 50 લીટર ઉકાળો વિતરણ કર્યો.

Share

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ભયંકર રીતે ફેલાઈ રહી હોય આ બાબત ચિંતાજનક છે. આ માટે કોઈ દવા રસી હજુ ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં આયુર્વેદ ઉકાળો એક સારો વિકલ્પ હોય જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધતા અન્ય વાયરસોથી બચાવ થઈ શકતો હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ખાસ ઉકળાનું વિતરણ થઈ રહ્યું છે જેમાં નર્મદનાં વડા મથક રાજપીપળા ખાતે પણ હાલ આ વિતરણ શરૂ કરવામાં આવ્યું. જેમાં રાજપીપળા રજપૂત ફળીયાનાં જાગૃત યુવા કાર્યકર કુલદીપસિંહ ગોહિલ સાથે ફળીયાનાં અન્ય યુવાનો દ્વારા સોમવારે વિના મૂલ્યે ઉકાળા વિતરણ કરાયું હતું. આ યુવાનોએ તેમના ફળીયામાં ઘરે ઘરે જઈ ઉકાળો વિતરણ કરી એક પણ ઘર કે વ્યક્તિ બાકી ના રહે તેની ખાસ કાળજી રાખી 50 લીટર ઉકાળાનું વિતરણ કર્યું હતું.

આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

ભરૂચ : જૈન સોશ્યલ ગૃપ દ્વારા બહેનો માટે સ્કીલ બેઝ ટ્રેનીંગ વર્ગોનું આયોજન કરાયું.

ProudOfGujarat

માંગરોળ : આમખૂટા અને રટોટી ગામે પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન શિબિર યોજાઈ

ProudOfGujarat

ભારત બંધનાં એલાનમાં ભરૂચની વડદલા APMC ચાલુ જયારે મહંમદપુરા APMC સદંતર બંધ જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!