Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ બિહારનાં ૧૪૪ પરપ્રાંતિય શ્રમીકો-ધંધાર્થીઓ વતન જવા રવાના.

Share

ભારત સરકાર અને રાજ્ય સરકાર સંકલનમાં રહીને જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ આજે બિહારના ૧૪૪ પરપ્રાંતિય શ્રમીકો અને ધંધાર્થીઓને વતન બિહાર જવા રવાના કરાયા હતા. નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામા રહેતા -૧૩૬ શ્રમીકો અને ધંધાર્થીઓ તમેજ દેડીયાપાડામાં રહેતા-૬ અને સાગબારા તાલુકાના-૨ મળી કુલ ૧૪૪ શ્રમીકોને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમના વતન બિહાર જવા રવાના કરવામાં આવ્યા હતા. આ તમામ પરપ્રાંતિય પ્રવાસી શ્રમીકો અને ધંધાર્થીઓને રાજપીપલા બસ સ્ટેશનથી ૪ બસો દ્વારા વડોદરા રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યા હતા. જયાંથી તેઓ સ્પેશીયલ ટ્રેન મારફતે બિહાર જવા રવાના થશે. નાંદોદ તાલુકાના મામલતદારશ્રી ડી.કે.પરમારે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં રહી ધંધો રોજગાર કરતાં બિહારના કુલ ૧૪૪ શ્રમીકો, ધંધાર્થીઓને આજે રાજપીપલાથી ૪ બસ મારફતે વડોદરા અને વડોદરાથી સ્પેશીયલ ટ્રેન મારફતે બિહાર રવાના કરવામાં આવ્યા છે. આ તમામ શ્રમીકોનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને સુકો નાસ્તો, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. પોતાના માદરે વતન જનાર મુસાફરો એ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

મોન્ટુ શેખ
રાજપીપલા

Advertisement

Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આવેલ સરકારી ઓફિસોની સફાઈ કરાઈ.

ProudOfGujarat

નવરાત્રી દરમ્યાન અમદાવાદ જીલ્લાના ૪૫૦થી વધુ ગામોમાં વાહકજન્ય રોગ અંગે જનજાગૃતિ કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર: બાકરોલ ગામ ખાતે આવેલ ગામ તળાવની નજીક મળ્યું કેમિકલ વેસ્ટ ભરેલુ ડ્રમ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!