Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા પોસ્ટ ઓફીસમાં સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ.

Share

હાલ કોરોના વાઇરસની મહામારીમાં પ્રસાશન દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. હાલ મોટા શહેરોમાં કોરોનાનાં પોઝિટિવ કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હાલ નર્મદા જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ એકપણ કેસ નથી ત્યારે હાલ કાળજી રાખવી ખૂબ જરૂરી છે લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટનસિંગ રાખવું પણ ખૂબ જરૂરી બની રહે છે. રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. પોસ્ટ ઓફીસમાં આવેલ મહિલાઓ અને અન્ય લોકો બે ફિકર થઈ એક બીજાને અડીને કતારોમાં ઉભી જોવા મળી હતી. ત્યારે આટલી ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ ??? એ પણ એક મોટો પ્રશ્ન છે. ઉપરાંત પોસ્ટ ઓફીસનાં તંત્રની પણ લોકોને સોશિયલ ડિસ્ટનસિંગ રાખવા જવાબદારી છે પણ જાણે નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ન હોવાથી લોકો બિન્દાસ્ત હોય તેમ લાગી રહ્યું છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

રાજ્યમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો ટૂંક સમયમાં શરૂ થશે: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ProudOfGujarat

હાંસોટ બી. આર. સી.ભવન ખાતે બ્લોક કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

ProudOfGujarat

ભરૂચ અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગોની દિકરીઓ માટે વસ્ત્ર દાનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!