Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા પાલિકાની બેદરકારીની અનેક રજૂઆતો છતાં શૌચલાયની ડબક ખાલી ન કરતા ગંદકીનું સામ્રાજ્ય.

Share

હાલ કોરોનાએ સમગ્ર દુનિયાને બાનમાં લીધું છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી પણ જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકારે પણ લોકડાઉનનું કડક પાલન કરવા પોલીસને નિર્દેશ કર્યો છે. નર્મદા જિલ્લામાં હાલ કોરોનાના ભયને કારણે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે નિઝામશાહ દરગાહ પાછળ આવેલ શૌચાલયની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યાં જઈ રૂબરૂ માહિતી મેળવતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે શૌચલાયમાંથી ખૂબ દુર્ગંધ આવે છે સાફસફાઈનો અભાવ છે કેટલીકવાર મુતરડીમાંથી દારૂની પોટલીઓ પણ મળે છે અને ઘણા સમયથી ડબક ભરાઈ ગઈ છે તે ખાલી કરવા રજૂઆતો કરી છે પણ ડબક ખાલી કરાતી નથી. આ બાબતે શૌચાલયનાં સંચાલકને પૂછતાં તેને પણ કબુલ્યું હતું કે ડબક ખાલી કરવા રાજપીપળા નગરપાલિકામાં રજૂઆતો કરી છે પણ મશીન બગડેલુ છે તેમ જવાબ મળે છે. ત્યારે આવી મહામારીના સમયે રાજપીપળા પાલિકા પણ સાફસફાઈ મુદ્દે ખાસ કાળજી રાખે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

નર્મદાની પરિક્રમામાં અવ્યવસ્થા મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ વડોદરા કલેક્ટરને કરી રજૂઆત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં તા.૯ મી એપ્રિલથી સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના નાવરા અને દેડિયાપાડા તાલુકાના કેવડી ગામે “આપણો તાલુકો-બાગાયત તાલુકો” અંગેની શિબીર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!