Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે 8 કલાકે 128.82 મીટર નોંધાઈ.

Share

હાલ સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિનો માહોલ છે તેવામાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ સાઉથ ગુજરાત તરફ વરૂણદેવ અનરાધાર પોતાની કૃપા વરસાવી રહ્યા છે. જેમાં સરદાર સરોવર સરોવર ડેમની સપાટીમા વધારો નોંધાયો છે. નર્મદા ડેમની પાણીની સપાટી છેલ્લા 24 કલાકમાં 31 સેન્ટિમીટર જેટલી વધી છે અને નોંધાયેલ આંકડા મુજબ સવારે 8 વાગ્યે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 128.82 મીટર નોંધાયેલ છે. આ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે. હાલ પાણીની આવક 1,00, 606 કયુસેક જેટલી નોંધાયેલ છે, છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 62,919 ક્યુસેક નોંધાય છે જેની સામે રિવરબેડ પાવર હાઉસમાંથી નદીમાં પાણીની જાવક 32,843 ક્યુસેક નોંધાય છે. જો નર્મદા ડેમની પાણીની સપાટી 130 મીટરને વટાવશે તો નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાશે.

Advertisement

Share

Related posts

ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિનામૂલ્ય શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

ગોધરા : શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને લો કોલેજના NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદા ડેમમાં 24 કલાકમાં પુષ્કળ પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!