Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમની સપાટી વધી – 5 કલાકમાં 5 ઈંચ વધતા 124.51 મીટર થઈ જળ સપાટી

Share

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી જળ સપાટી 124.51 મીટર થઈ છે. સતત ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 5 કલાકમાં 5 ઈંચ વધી છે. ડેમની સપાટી 15 સેન્ટી મીટર વધતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 58,705 ક્યુસેક પાણીની આવક થઈ છે.

હેડ પાવર હાઉસથી કેનાલમાં 5,213 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમની જળસપાટી આગળથી આવી રહેલા પાણી તેમજ વરસાદના કારણે વધુ વધી શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છે. ત્યારે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા એક તરફ ખેડૂતો માટે ખુશીની વાત પણ છે કેમ કે, ઉનાળું ખેતી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં નર્મદાના પાણીથી જ થાય છે. ત્યારે ડેમની જળસપાટી છેલ્લા કેટલાક સમયથી વરસાદના કારણે ભયજનક સપાટીની નજીક પણ પહોંચે છે ત્યારે ડેમના દરવાજો પણ ખોલવાની ફરજ પડે છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવે છે.

Advertisement

ત્યારે આગામી સમયમાં 16 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં વધુ વધારો થવાની શક્યતા હોવાથી ડેમોના દરવાજાઓ પણ ચોક્સસથી ખોલવાની ફરજ પડશે. ત્યારે અત્યારની સ્થિતિએ ઉપરવાસના પાણીના કારણે પણ પાણીની આવક વધી રહી છે.


Share

Related posts

મેડ ઇન ચાઇનાનો સંપૂર્ણ બહિષ્કાર કરવા જમીયતે પાલેજમાં જનતાને આહવાન કર્યું.

ProudOfGujarat

ગુજરાતમાં લાંબા સમયથી લાઈબ્રેરીયનની ભરતી ન થતાં બેરોજગારો દ્વારા કટાક્ષ સાથે પાઠવ્યું શિક્ષણ મંત્રીને આવેદન.

ProudOfGujarat

બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો..જાણો ક્યાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!