Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં વાવાઝોડાનાં કારણે કેળાનાં પાકને નુકસાન થતાં ખેડૂતોએ કરી વળતરની માંગ

Share

બે દિવસ પહેલા નર્મદા જિલ્લામાં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. જેમાં 2500 એકરમાં કેળાનો પાક ધરાશાયીથતાં પાક નષ્ટ થવા પામતા ખેડૂતોને કરોડોનું નુકશાન થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. હજી તો વરસાદની મોસમ શરૂ નથી થઈ ત્યાં અચાનક વરસાદ અને વાવાઝોડાએ નર્મદા જિલ્લાના ખેડૂતોના હાલ બેહાલ કરી દેતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જામ્યો છે.

નર્મદા જિલ્લામાં અઢી હજાર એકર જમીનમાં કેળાની ખેતી નષ્ટ થઈ ગઈ છે. કેળના પાકને વ્યાપક નુકસાત સમગ્ર જિલ્લામાં કેળાના પાકને આશરે રૂા. 40 થી 50 કરોડનું નુકસાન અંદાજનો અંદાજ છે.

નર્મદા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે રાજપીપળા શહેર સહિત નાંદોદ તાલુકા, તિલકવાડા, કેવડિયા, ગરુડેશ્વરમાં કેળના પાકને નુકશાન થયાંના અહેવાલ છે. આ અંગે નિકોલીના ખેડૂત પ્રકાશભાઈ પટેલે નુકશાની માહિતી આપતાં જણાવ્યું હતું કે નાંદોદમાં સિસોદરા, નિકોલી, નવાપરા, કાંદરોજ, રાજપરા ગામોમાં કેળનો પાક નષ્ટ થઈ જ્વા પામ્યો છે. મોટાભાગના ઠડીયા ધરાશાયી થઈ જતાં ભારે નુકશાન થયાંના અહેવાલ છે
એ ઉપરાંત વડીયા, કરાંઠા, રામપુરા,ગોપાલપુરા, શહેરાવ, ટંકારી, ભદામ, ધમણાચા,નરખડી, પોઇચા સહિતના અનેક ગામોમાં કેળનાં પાકને પણ વ્યાપક નુકસાન થયાના અહેવાલ છે.

Advertisement

આ ઘટના બાદ ભારતીય કિસાનસંઘ, નર્મદા દ્વારા કેળ તથા શેરડી વિગેરે પાકને થયેલ નુકસાનીનો સર્વે કરાવી સરકારમાં પ્રતિ એકરે 50 હજારના વળતરની માંગ કરતું એક કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગાંધીનગર જિલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઉમલ્લા પોલીસે વિદેશી દારૂ અને 4 મોટર સાયકલ મળી કુલ રૂ એક લાખ કરતા વધુ ની મતા જપ્ત કરી એક આરોપી ની અટક 4 આરોપી ફરાર

ProudOfGujarat

વડોદરાની એસ.એસ. જી હોસ્પિટલમાં કોવિડ સારવાર સેન્ટર ઉભુ કરવા માટે તૈયારી શરૂ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!