Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૮.૦૨ ટકા પરિણામ નોંધાયું

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ ૧૪ મી થી ૨૯ મી માર્ચ, ૨૦૨૩ દરમિયાન ધોરણ- ૧૨ સામન્ય પ્રવાહની જાહેર પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લામાં કુલ નોંધાયેલા ૪૧૫૧ પૈકી ૪૧૩૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે તા.૩૧ મી મે,૨૦૨૩ ને બુધવારના રોજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના જાહેર કરાયેલા ઓનલાઈન પરિણામમાં નર્મદા જિલ્લામાં કુલ ૨૩૯૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જિલ્લાનું કુલ ૫૮.૦૨ ટકા પરિણામ નોંધાયું હતું. જે પૈકી ૦૨ વિદ્યાર્થીઓ A1, ૧૭ વિદ્યાર્થીઓ A2 અને ૧૧૬ વિધાર્થીઓને B1, ૪૪૧ વિધાર્થીઓને B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભામાં વિવિધ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવતા વિકાસ ના દેખાતા વિરોધ પક્ષ દૂરબીન લઈને વિકાસ જોવા નીકળ્યા.

ProudOfGujarat

અબળા પર અત્યાચાર : દાહોદના ફતેપુરામાં પરિવારજનોએ મહિલાને જાહેરમાં ઢોર માર માર્યો

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે 73 માં વન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!