Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાનાં 100 વધુ ગામોમાં પાણીના અભાવે કપાસનો પાક સુકાતા પાણી છોડવાની ખેડૂતોએ કરી માંગ.

Share

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના 100 થી વધુ ગામોમાં ખેડૂતોએ મોટાભાગે કપાસનું વાવેતર કર્યું છે. દર વર્ષે સૌથી વધુ કપાસનો પાક તિલકવાડા તાલુકામાં સારો ઉતરે પણ છે. આ વર્ષે વરસાદ પણ સારો થયો છે. પણ છેલ્લા પાક માટે કેટલાક વખતથી તિલકવાડા તાલુકામાં વરસાદ થયો ન હોવાને કારણે તીલકવાડા તાલુકામાં કપાસનો પાક સુકાવા માંડ્યો છે. ત્યારે નર્મદાની શાખા કેનાલોમાંથી પાણી છોડવાની ખેડૂતોએ માંગ કરી છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર દર વર્ષે સરકાર દ્વારા 31 ઓક્ટોબરના રોજ પાણી છોડવામાં આવે છે. પણ આ વર્ષે વરસાદ બંધ થયો હોવાથી 31 ઓક્ટોબરને મહિના જેવો સમય બાકી છે. ત્યાં સુધીમાં જો પાણી ન છોડાય તો કપાસનો મહામૂલો પાક સુકાઈ જાય તેમ છે અને ખેડૂતોને કરોડોનું નુકસાન થાય એવી સ્થિતિ છે ત્યારે ખેડુતો પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. જો તાત્કાલિક પાણી ન મળે તો કપાસનો પાક સુકાઈ જવાથી ભારે નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. આ અંગે નર્મદા કોંગ્રેસના પ્રવક્તા મલંગભાઈ રાઠોડે જણાવ્યું છે કે અમારી સરકાર અને વહીવટી તંત્રને વિનંતી છે કે શાખા કેનાલોમાં વહેલી છોડવામાં આવે તો પાણી મળી જાય તો કપાસના પાકને જીવનદાન મળી શકે એમ છે. નહીંતર પાક સુકાઈ જશે તો ખેડૂતોને મોટુ નુકશાન થઈ શકે એમ છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં સરપંચ પદના ૯૨૨ અને સભ્ય પદ માટે 3855 ઉમેદવારો મેદાનમાં.

ProudOfGujarat

વડોદરાનું ગૌરવ વધારતી ખુશ્બુ પરમાર : દ્રઢ મનોબળ અને સખત પરિશ્રમ દ્વારા ગુજરાતની યુવતીએ આકાશને આંબવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

ProudOfGujarat

વડોદરાના વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન પરત ફરતા સાંસદ ધારાસભ્યના હસ્તે કુમકુમ તિલક કરી ભાવભીનુ કરાયું સ્વાગત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!