Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમના પાંચ દરવાજા ૩૦ સે.મી. ખોલતા ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં.

Share

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૮૩ ટકા ભરાઈ જતા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થઈ ગયા છે. રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

મધ્યપ્રદેશના ડેમાંથી પાણી છોડતા નર્મદા ડેમમા પાણીની આવક સતત વધી રહી છે જેને પગલે સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ૩૦ સે.મી. ખોલવામાં આવતા અંદાજે ૧૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો છે. નર્મદા ડેમમાં પાણીની સતત વધતી જતી આવકને પગલે નર્મદા ડેમ ૮૩ ટકા ભરાઈ ગયો છે. ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં છે. જેને પગલે દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતની ૨૦ મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહી રહી છે.તા. ૧૨ મીથી કેનાલ હેડ પાવર હાઉસના ૦૪ યુનિટ મારફત સરેરાશ એક યુનિટ દીઠ રૂા.૯૮ લાખની કિંમતનું ૪.૮ મિલીયન યુનિટનું વિજ ઉત્પાદન થઈ રહ્યું છે.

Advertisement

વિજ ઉત્પાદન બાદ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા આજની સ્થિતિએ હાલમાં આશરે સરેરાશ ૨૦ હજાર ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે છોડાઇ રહ્યું છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પંચમહાલ જીલ્લામાં પુર્ણ ખીલેલા ચદ્રમા સાઇની પ્રતિમા દેખાતા લોકોમા કુતુહલ

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. પી.આઇ. એસ.સી.તરડેને ગુજરાત રાજ્યનો ઇ-કોપ ઓફ ધી મન્થ એવોર્ડ તેમજ સાયબર સેલના પો. કોન્સ્ટે. મલ્કેશ ગોહિલને ગુજરાત રાજ્યનો સાયબર કોપ ઓફ ધી મન્થનો એવોર્ડ પ્રાપ્ત થયો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી ની કનોરિયા કેમિકલ કંપની નજીક અજાણ્યા પુરુષની હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!