Proud of Gujarat
FeaturedGujaratINDIA

પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે ખેડૂતોને પાણી આપવા મુખ્યમંત્રીનો નિર્ણય.

Share

સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ ન હતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે.

તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો તરફથી માનનીય મુખ્યમંત્રીને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે એક પાણી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપેલ છે. આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મુંગા અબોલ પશુઓને આ ઘાસચારો રાહત આપશે. સરકારના આ નિર્ણયને અનેક ધારાસભ્યો,પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

હુ બેન્ક ઓફ બરોડામાંથી શર્મા બોલુ છુ તેમ કહી તમારૂ એકાઉન્ટ સીઝ થઇ ગયેલ છે આમ કહીને ઉચાપત કરી…જાણો વધું

ProudOfGujarat

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે વિરમગામના ભોજવા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયુ

ProudOfGujarat

ભરૂચ : મકતમપુર પોસ્ટ ઓફિસથી નદી તરફ જવાના માર્ગ પર ગંદકીનાં પગલે સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!