Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદાના પી. એસ. આઈ પાઠકે કડકડતી ઠંડીમાં નર્મદા નદીમાં 208 ડૂબકી લગાવી સ્નાન કર્યું.

Share

દેશની બધી નદીઓમાં એક માત્ર નર્મદા નદી એટલી પવિત્ર છે કે તેના દર્શનમાત્રથી પવિત્ર થવાય છે.પૂરાણોમાં નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે જેમાં નર્મદાનું સ્નાન કરવાથી બધા પાપોમાથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

હાલ મકરસંક્રાંતિ પર્વે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી અસંખ્ય લોકોએ નર્મદામા ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી. સામાન્ય રીતે લોકો નર્મદા સ્નાન કરતી વખતે આઠ દશ વાર ડૂબકી લગાવે છે પણ નર્મદા જિલ્લાના પીએસઆઇ કે કે પાઠકે કડકડતી ઠંડીમાં નર્મદામાં 208 વખત ડૂબકી લગાવી નર્મદા સ્નાન કર્યું હતું. અને સૌનું કલ્યાણ થાય એવી મા નર્મદાને પ્રાર્થના કરી હતી. દેશમાં સુખ શાંતિ જળવાઈ રહે અને દેશ કોરોના મુક્ત બને એવી મા નર્મદાને પ્રાર્થના પણ કરી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અથાગ પરિશ્રમ પછી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસની કારોબારી સભા તેમજ અભિવાદન સમારોહ યોજાયો. 7 ઠરાવો સર્વાનુમત્તે મંજૂર કરાયા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી મફતીયાપરાની મહિલાઓએ રોડમાં ભ્રષ્ટાચાર થયાનાં આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!