Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જીતનગર ખાતે તા.11 એ નર્મદા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

Share

દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના દરેક જિલ્લાઓમાં મિલન કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧ મી તારીખે ગુરુવારે 3:00 ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાકક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 11 મી એ રાજપીપલા ખાતે પહેલીવાર નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નર્મદા ભાજપાના સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત આ સ્નેહ મિલન કાર્યક્રમમા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જય શંકર, રાષ્ટ્રીય ટ્રાઈફેડના ચેરમેન, રાજ્યના કેબિનેટ મંત્રી અને પ્રભારી પૂર્નેશ મોદી તથા ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવ સહીત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો તથા જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આ સ્નેહ મિલન કાર્યક્મમા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ સ્નેહમિલન કાર્યક્રમમમા આમ જનતાને પધારવાપાર્ટી દ્વારા સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે સમસ્ત નાગરિકોને પધારવા ખાસ આમંત્રણ પાઠવ્યું છે જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

આ અંગે આજે જીતનગર ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમા પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં સાંસદ મનસુખભાઇએ જણાવ્યું હતું કે આ જિલ્લા કક્ષાનું દિવાળી પછીનું સ્નેહ મિલન છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રિય વિદેશમંત્રી સહીતના આગેવાનો પધારી રહ્યા છે. આ સ્નેહ મિલન કાર્યક્રમમમા આગામી વિધાનસભાની ચૂંટણી જીતવાની છે તેના સંકલ્પ સાથે પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધારવા અને સંગઠન મજબૂત બનાવવા અંગેની તથા સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા તેમજ કાર્યકર્તા એ કરેલા કામોની સમીક્ષા તથા આવનારા નવા આયોજનો અંગેની ચર્ચા હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત – લક્ઝ્યુરીયસ કારમાં દારૂની ખેપ મારતા ત્રણની ધરપકડ, 1.63 લાખનો દારૂ જપ્ત કર્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણીલક્ષી આંતરીક ઘમાસાણ શરૂ, યાત્રા રૂટને લઇ થઈ ગયા બે જૂથ આમને સામને.

ProudOfGujarat

લીંબડી તાલુકામાં આમ આદમી પાર્ટીનાં કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એકસી મીટરથી ઓક્સિજન લેવલની તપાસ કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!