Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા કોર્ટ માં વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કર્યા.

Share

રાજપીપળા, આરીફ જી કુરેશી

દિલ્હીમાં વકીલો ઉપર પોલીસ દ્વારા થયેલા દમન વિરુદ્ધ નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા દેખાવો.
દિલ્હીમાં પોલીસ અને વકીલો વચ્ચે બનેલા ઘર્ષણના બનાવે ચારો ચોક ચર્ચા જગાવી છે ત્યારે રાજપીપળામાં પણ બાર એસોસિએશન દ્વારા આજે ૬ નવેમ્બરના રોજ નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખશ્રી કુ વંદનાબેન ભટ્ટની આગેવાનીમાં રાજપીપળા કોર્ટમાં વકીલો દ્વારા લાલ પટ્ટી ધારણ કરી દિલ્હી પોલીસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી સમગ્ર ઘટનાનો વિરોધ કર્યો હતો.
આ બાબતે નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ કુ. વંદનાબેન ભટ્ટ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ દ્વારા જે વકીલો ઉપર દમન કરાયું છે તેને અમે વખોડીયે છે અને આજે તે ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે અને જેથી વકીલોની સલામતી જળવાય તેવી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

સુરત : લિંબાયતમાં લુખ્ખા તત્વો દ્વારા ચાઇનીઝની લારી પર નાસ્તો કરી પૈસા ન આપી માલિકને ચપ્પુના ધા ઝીંકતા સારવાર દરમ્યાન મોત થયું.

ProudOfGujarat

અંકલેશ્વર સુકાવલી ડમ્પીંગ એરિયામાં બહારનો કચરો ઠાલવતા પાલિકા ફરી વિવાદમાં…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે સાપ કરડતા યુવતીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!