Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા તાલુકામાં એસ ટી બસોની સુવિધા ચાલુ ન કરતા ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર

Share

– ખાનગી વાહન ચાલકો દ્વારા છાપરા ઉપર પેસેન્જર બેસાડી લોકોના જીવ ને જોખમમાં મુક્યા.
ડેડીયાપાડા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં કોરોના કાળમાં બંધ પડેલી એસ ટી બસોની સુવિધા ફરી શરૂ ન કરાતાં મુસાફરો દ્વારા ખાનગી વાહનો માં ડબલ ભાડું ખર્ચી મુસાફરી કરવી પડે છે. રક્ષાબંધન નો તહેવાર હોય તાલુકા મથકે આવવા માટે લોકો ને ખાનગી વાહનો માં આવવું પડતું હોય છે. ત્યારે ખાનગી વાહનચાલકો દ્વારા મુસાફરો ને આડેધડ જીપની ઉપર બેસાડી મુસાફરોના જીવને જોખમ માં મૂકે છે.

Advertisement

ડેડીયાપાડા થી માલસામોટ જતા રૂટ પર બસની સુવિધા ઓછી હોવાને કારણે મુસાફરો જોખમી મુસાફરી કરવા મજબૂર છે. મુસાફરોને ઉપર છાપરા પર તો ઠીક પરંતુ આગળ બોનેટ ઉપર પણ બેસાડવામાં આવે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ ? .. શુ તંત્ર દ્વારા આવા વાહનચાલકો ને રોકવામાં આવશે ? કે આમ જ બેરોકટોક પ્રજાના જીવ સાથે ચેડાં કરવામાં આવશે.

તાહિર મેમણ : ડેડીયાપાડા


Share

Related posts

ભરૂચ : ડૉ.બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, સ્કુલ બેગ અને યુનિફોર્મનું વિતરણ કરાયું.

ProudOfGujarat

સેવાલિયા પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીને હરિયાણામાંથી ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી. ની ટીમ.

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર સહીત અન્ય બે તાલુકોમા બાઈકની ચોરીના ગુનાને અંજામ આપનાર બાઈક ચોરને ઝડપી પાડી પાંચ વાહનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!