Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા તાલુકામાં એસ ટી બસોની સુવિધા ચાલુ ન કરતા ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર

Share

– ખાનગી વાહન ચાલકો દ્વારા છાપરા ઉપર પેસેન્જર બેસાડી લોકોના જીવ ને જોખમમાં મુક્યા.
ડેડીયાપાડા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં કોરોના કાળમાં બંધ પડેલી એસ ટી બસોની સુવિધા ફરી શરૂ ન કરાતાં મુસાફરો દ્વારા ખાનગી વાહનો માં ડબલ ભાડું ખર્ચી મુસાફરી કરવી પડે છે. રક્ષાબંધન નો તહેવાર હોય તાલુકા મથકે આવવા માટે લોકો ને ખાનગી વાહનો માં આવવું પડતું હોય છે. ત્યારે ખાનગી વાહનચાલકો દ્વારા મુસાફરો ને આડેધડ જીપની ઉપર બેસાડી મુસાફરોના જીવને જોખમ માં મૂકે છે.

Advertisement

ડેડીયાપાડા થી માલસામોટ જતા રૂટ પર બસની સુવિધા ઓછી હોવાને કારણે મુસાફરો જોખમી મુસાફરી કરવા મજબૂર છે. મુસાફરોને ઉપર છાપરા પર તો ઠીક પરંતુ આગળ બોનેટ ઉપર પણ બેસાડવામાં આવે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ ? .. શુ તંત્ર દ્વારા આવા વાહનચાલકો ને રોકવામાં આવશે ? કે આમ જ બેરોકટોક પ્રજાના જીવ સાથે ચેડાં કરવામાં આવશે.

તાહિર મેમણ : ડેડીયાપાડા


Share

Related posts

સુરતના પાલ ઉમરા બ્રિજ પર બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ બે યુવકો બ્રિજ પરથી 15 ફૂટ નીચે પડતા એકનું મોત

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લાની સરસ્વતી શિશુ વિદ્યામંદિર શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ શહેરના નારાયણ નગરમાં પાકી બાતમીને આધારે રેડ કરતાં બુટલેગરનાં ઘરેથી 50 હજાર ઉપરાંતનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!