Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : સદગુરૂશ્રી જીવણજી મહારાજ મેમોરિયલ ફાઉન્ડેશન અને ઉદાભક્ત યુથ ફોરમ દ્વારા સૈનિક કલ્યાણ નિધિ માટે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલને રૂા. ૪,૯૦,૮૧૩ નો ચેક અર્પણ

Share

રાજપીપલા,આરીફ જી કુરેશી

રાજપીપલા,સદગુરૂશ્રી જીવણજી મહારાજ મેમોરીયલ ફાઉન્ડેશન-પુનિયાદ અને ઉદાભક્ત યુથ ફોરમ દ્વારા તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલને સદરહું ફાઉન્ડેશનના ટ્રસ્ટ્રી ઓ તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સૈનિક કલ્યાણનિધિ માટે રૂા. ૪,૯૦,૮૧૩ નો ચેક અર્પણ કરાયો હતો. સૈનિક કલ્યાણનિધિ માટે ઉક્ત ચેક પ્રાપ્ત થવા બદલ જિલ્લા પ્રસાશન વતી “ટીમ નર્મદા”ના રાહબર જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે સદગુરૂશ્રી જીવણજી મહારાજ મેમોરીયલ ફાઉન્ડેશન અને ઉદાભક્ત સમાજના ઋણ સ્વીકાર સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દેશમાં પુલવામાના આતંકી હુમલા વખતે શહીદ થયેલા સૈનિકોના પરિવાર માટે કર્તવ્ય સેવા ફંડમાં સહયોગ માટે કરાયેલી અપીલના પ્રતિસાદરૂપે દેશ-વિદેશમાં રહેતા ઉદાભક્ત સમાજના ભક્તોએ ટૂંક સમયમાં જ કુલ રૂા. ૪,૯૦,૮૧૩ ની રકમ કર્તવ્ય સેવાના ભાગરૂપે એકત્રિત કરાઇ હતી.

Advertisement

Share

Related posts

ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી

ProudOfGujarat

સુરત ખાતે  વરાછાના મીની બજાર સરદાર સમૂર્તિ ભવન નજીકથી સીએએના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

સોનાની ખરીદી અને વેચાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર, સરકારે નવા નિયમો લાગુ કર્યા. જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!